→ આ મેદાન ચરોતર પ્રદેશની ઉત્તર- પશ્વિમમાં આવેલું છે.
→ સાબરમતી નદીના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં રચાયેલા વિસ્તારને સાબરમતી નદીનું મેદાન કહે છે.
→ આ મેદાન સાબરમતી નદી અને તેની સહાયક નદીઓના નિક્ષેપણથી બનેલું છે.
→ આ વિસ્તારમાં ગોળ માથાવાળા માટીના ટેકરા જોવા મળે છે.
→ આ મેદાનમાં ધંધુંકા, ધોળકા, દસક્રોઈ અને મદાવાદ તાલુકાનાં વિસ્તારોમાં ગોળ માથાવાળી ટેકરીઓ ઉપરાંત થલતેજ અને જોધપુરના ગોળ માથાવાળા ટેકરા આવેલા છે.
→ આ મેદાન બે કાંઠામાં વિભાજિત થાય છે.
→
નળ કાંઠો : નળ સરોવર અને સાબરમતી નદી વચ્ચેનો અમદાવાદનો પ્રદેશ નળ કાંઠા તરીકે જાણીતો છે.
ભાલ કાંઠો /પ્રદેશ : નળ સરોવરની નીચેનો પ્રદેશ તથા અમદાવાદની દક્ષિણ-પશ્વિમ સુધીનો વિસ્તાર ભાલ કાંઠા તરીકે ઓળખાય છે. આ પ્રદેશમાં કાળી અને ચીકણી માટી આવેલી છે.
0 Comments