Veraval Port | વેરાવળ બંદર

વેરાવળ બંદર
વેરાવળ બંદર

→ વેરાવળ એ અતિ પ્રાચીન બંદર છે.

→ સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે ખુલ્લા અરબી સમુદ્ર પર આવેલું ઐતિહાસિક બંદર મધ્યમ કક્ષાનું (નોન મેજર) બંદર છે.

→ ઈ.સ. બીજી સદીમાં થઈ ગયેલા રોમન ભૂગોળવેત્તા ટોલમી એ પણ તેમની પ્રવાસ નોધપોથીમાં વેરાવળ નો ઉલ્લેખ કર્યો છે.

→ ચોમાસા દરમિયાન વેરાવળનો દરિયા કિનારો તોફાની બનતો હોવાથી આ સમય દરમિયાન આ બંદરને બંધ રાખવામા આવે છે.

→ વેરાવળના દરિયા તળિયે કાદવ-કીચડની સમસ્યા નથી , પરંતુ દરિયાકિનારો સીધો અને તળિયું ખડકાળ હોવાથી તથા પશ્વિમ બેસિન અને બંદરના પ્રવેશ માર્ગની વચ્ચે ખરાબો આવેલો હોવાથી વહાણો માટે જોખમી છે.

→ વેરાવળ એ લાઈટરેજ પ્રકારનું મોસમી બંદર છે.

→ વેરાવળને બ્રેકવોટર દ્વારા સુરક્ષિત બનાવ્યું હોવા છતાં ચોમાસા દરમિયાન તે અસુરક્ષિત છે.

→ વેરાવળના ધક્કાથી અંદાજે 1.5 કિ.મી. દૂર ખુલ્લા દરિયામાં જહાજ લાંગરે છે અને ત્યાર બાદ બાર્જ અને હોડીઓ દ્વારા માલની હેરફેર કરવામાં આવે છે.

→ વેરાવળ બંદર પર માલસંગ્રહ માટે ગોદામો, ઊંટડા અને ધક્કાની ઉત્તમ સગવડ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ઉપલબ્ધ કરાઇ છે.

→ વેરાવળ બંદરનો વિકાસ "મત્સ્ય બંદર" તરીકે સૌથી વધુ પ્રમાણમા વિકાસ થયો છે.

→ ખારવા સમાજના ભાઈઓ અહીં માછીમારી વ્યવસ્થા સાથે સંકળાયેલા છે.

→ માછલાંને બગાડતાં અટકાવવા માટે તેના સંગ્રહ માટે શીતગૃહોની સગવડ કરવામાં આવેલી છે.

→ મધ્ય યુગ દરમિયાન મુસ્લિમો હજ યાત્રાએ જવા માટે વેરાવળ બંદરનો ઉપયોગ કરતાં હતા.

→ વેરાવળ બંદરનું ગ્રીક નામ સુરાષ્ટ્રીયન છે.

→ વેરાવળ બંદરે કેનેડાથી અનાજ અને જાપાનથી ખાતરની આયાત થાય છે.

→ UK , હોલેન્ડ, યુગોસ્લોવાકિયા તથા અન્ય યુરોપીયન દેશો અને જાપાનમાં સીંગદાણાની નિકાસ થાય છે.

→ વેરાવળ બંદરે થતી કેટલીક આયાત : ખજૂર, કપાસિયા, લોખંડ, પોલાદ, કોલસો, ખાતર, કાગળનો માવો, ઈમારતી લાકડું

→ વેરાવળ બંદરે થતી કેટલીક નિકાસ : માછલી, સીંગદાણા, સિંગખોળ, ડુંગળી, સોડાએશ, સિમેન્ટ


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments