→ સૌરાષ્ટ્રનાં મેદાનો ટ્રેપ ખડકોના ઘસારણથી બનેલા હોવાથી કાળી જમીનનાં ફળદ્રુપ મેદાનો આવેલા છે.
→ સૌરાષ્ટ્રનાં મેદાનો ભાદર અને શેત્રુંજય નદીના પ્રવાહથી બનેલા મેદાનો છે.
→ સૌરાષ્ટ્રનાં મેદાનોને તેના પ્રાદેશિક નામ આધારે સાત વિભાગ (હાલાર, ગોહિલવાડ, ઘેડ, દારૂકાવન, સોરઠ, ઝાલાવાડ, લીલી નાઘેર ) માં વિભાજિત કરવામાં આવે છે.
→ હાલાર : બરડા ડુંગરની દક્ષિણી-પશ્વિમ વિસ્તારના સમુદ્રકિનારા સુધી આવેલો વિસ્તાર કે જેમાં દેવભૂમિ-દ્વારકા અને જામનગર જિલ્લાનો સમાવેશ કરવામાં આવે છે.
આ વિસ્તાર આઝાદી સમયે યુનાઈટેડ સ્ટેસ્ટ્સ ઓફ સૌરાષ્ટ્ર તરીકે ઓળખાતો હતો.
→ ગોહિલવાડ : શેત્રુંજય નદી અને ઘેલો નદી વચ્ચેનો વિસ્તાર ગોહિલવાડ (ભાવનગર) નો વિસ્તાર કહેવાય છે. આ વિસ્તાર દ્રોણમુખથી પણ ઓળખવામાં આવે છે. આ વિસ્તારનું નામ ગોહિલ વંશના રાજવીઓ પરથી પાડવામાં આવ્યું છે. આ વિસ્તારમાં દાડમ, જામફળ, ડુંગળી, જુવાર, જમાદાર કેરી માટે પ્રખ્યાત છે.
→ ઘેડ : માણાવદર (જુનાગઢ) થી લઈને પોરબંદરમાં આવેલ નવીબંદર સુધીના નીચાણવાળા વિસ્તારને ધેડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં મગફળીનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે.
→ દારૂકાવન : દેવભૂમિ દ્વારકામાં આવેલ બેટદ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગનો વિસ્તાર મહાભારતના સમયમાં દારૂકાવન તરીકે ઓળખાતો હતો.
→ સોરઠ : જૂનાગઢ એન ગીર સોમનાથ જિલ્લાનો વિસ્તાર સોરઠ તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં સોમનાથ મંદિર આવેલું છે, જે 12 જ્યોતિર્લિંગ માંથી એક જ્યોતિર્લિંગ છે.
→ ઝાલાવાડ : કચ્છના નાના રણથી લઈ નળસરોવર સુધીનો વિસ્તાર (સુરેન્દ્રનગર) ને ઝાલાવાડનો વિસ્તાર કહે છે. આ વિસ્તારનું નામ ઝાલા કુળના રાજવીઓ પરથી પાડવામાં આવ્યું છે. અહીં કપાસનું વાવેતર અને ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે.
→ લીલી નાઘેર: ઊના (ગીર સોમનાથ) થી જૂનાગઢના ચોરવાડ સુધી અને ગીરની ટેકરીઓથી દક્ષિણે સમુદ્રકિનારા સુધીના વિસ્તારને લીલી નાઘેર પ્રદેશ કહેવામા આવે છે. આ પદેશમાં મુખ્યત્વે મગફળી અને કેસર નું ઉત્પાદન સૌથી વધુ થાય છે.
0 Comments