→ પોરબંદરથી માણાવદર સુધીના વિસ્તારમાં ચુનાયુક્ત રેતીના 10 મીટર ઊંચી ટેકરીઓથી બનેલો છે. જેની પાછળ લગૂન સરોવર રચાય છે જે ઘેડ વિસ્તાર તરીકે જાણીતો છે.
→ "ઘેડ" વિસ્તારમાં લાંબા (દેવભૂમિદ્વારકા), મિયાણી, પોરબંદર, નવીબંદર, માધવપુર (પોરબંદર). માંગરોળ, ચોરવાડ (જૂનાગઢ), વેરાવળ (ગીર-સોમનાથ) વગેરે બંદરો આવેલા છે.
→ આ વિસ્તારના દરિયાકિનારામાં પોરબંદરની આસપાસ મિલયોલાઈટ નામનો લાઈમસ્ટોન પથ્થર મળી આવે છે જે પોરબંદરી પથ્થર તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ સૌરાષ્ટ્રમાં બાંધકામમાં થાય છે.
→ આ વિસ્તારની ટેકરીઓ ખંડિય છાજલીના ઊંચકાવવાથી બનેલી છે.
→ ચોરવાડ બીચ : જૂનાગઢની આસપાસનો દરિયાકિનારનો વિસ્તાર ચોરવાડ બીચ તરીકે જાણીતો છે.
→ ચોરવાડ બીચ માં નવાબનો મહેલ આવેલો છે.
→ માધવપુરનો દરિયાકિનારો સૌથી સુંદર દરિયાકિનારો તરીકે જાણીતો છે.
→ માધવપુરમાં શ્રીકૃષ્ણ અને રૂકમણીનો વિવાહ થયેલો.
વેરાવળથી ગોપનાથ સુધી
→ વેરાવળ માં મત્સ્યબંદર આવેલુ છે.
→ આ વિસ્તારના દરિયાકિનારામાં બહુ બધા ટાપુ આવેલા છે.
→ "દીવ" સૌથી જાણીતો બેટ છે તથા બીચ જેની રચના આશરે 11 km લાંબો રેતીનો ઢૂવો દરિયાના પાણીમાં બેસી જવાના કારણે થઈ છે.
→ આ વિસ્તારમાં આવેલો ખંભાતનો અખાત સમુદ્ર કિનારાના નિર્ગમનના કારણે બન્યો છે.
→ આ વિસ્તારમાં આવેલું કચ્છનું નાનું રણ અને નળસરોવરની નીચેના ભૂમિભાગને ફોલ્ટ લાઇન(સ્તરભંગ) કહે છે.
→ આ દરિયાકિનારે બે મુખ્ય ખાડીઓ આવેલી છે: ભાવનગરની ખાડી અને કોપાલાની ખાડી
→ ભાવનગરની ખાડી : પ્રાચીન કાળમાં અહી ભાવનગરથી વલભીપુર સુધી દરિયાકિનારો હતો કાળક્રમે કાંપના કારણે લુપ્ત થઈ ગયો. આ વિસ્તારમાં સૌથી વધુ યુકેલિપ્ટસ (નિલગિરી) ના વૃક્ષો હોવાથી ભાવનગર જિલ્લો યુકેલિપ્ટસ (નિલગિરી) ના જિલ્લા તરીકે પ્રસિદ્ધ થયો હતો .
→ કોપાલાની ખાડી : અહી સાબરમતી પોતાનું મુખ ખંભાતના અખાતમાં ખોલે છે.
0 Comments